આજ રોજ રાંચી યુનિવર્સિટીના પ્રોફેસર અર્ચના દુબે મેડમ ભવનની પૂર્વ છાત્રા પ્રા. ભારતી પી. પરમાર (GES વર્ગ-2)નો Ph. D ફાઇનલ વાયવા લેવા પધાર્યા. તેઓના માર્ગદર્શક તરીકે ડૉ. ભારતી બેન સોલંકી (જામનગર ,પંચવટી કોલેજ )રહ્યા હતા. ભવનમાં પધારેલા પ્રો. અર્ચના મેડમનું પુસ્તક પુષ્પથી ભવનમાં સન્માન કરવામાં આવ્યું.